હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. રાજ્યની આપદા વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે હિમાચલમાં 20 જૂન ચોમાસુ બેસી ગયા પછી 27 જૂન સુધી 31 લોકોના મોચ થયા હતા. 4 લોકો ગુમ છે, જ્યારે 66 લોકોને ઈજા પહોંચી છે. જેમાં સાપ કરડવાથી, ડુબવાથી, રોડ અકસ્માત સિવાય પાણીમાં તણાઈ જનારા લોકોના આંકડાનો સમાવેશ થાય છે.

