West Bengal School Jobs Case: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બરતરફ કરાયેલા શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. મમતા બેનરજીએ કહ્યું કે એવું ન વિચારતા કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારી લીધો છે. અમે પથ્થર દિલના નથી અને આ ટિપ્પણી બદલ મારે જેલમાં જવું પડે તો પણ મને કોઈ વાંધો નથી.

