પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા હતાં. આ દરમિયાન પાકિસ્તાનને સહાય અને સપોર્ટ કરનાર તુર્કીનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે નવસારીના એપીએમસીમાં આંતરરાષ્ટ્રીય ફળોના વેપારી ચંદુલાલે તુર્કી દેશ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તુર્કીથી આયાત કરેલા 13 મણ સફરજનને કચરાપેટીમાં નાખી દઈને નાશ કર્યો છે.

