છત્તીસગઢમાં 1.5 કરોડ રૂપિયાના ઈનામી નક્સલી સહિત 27 નક્સલીઓને સેનાએ ઢેર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 3 દાયકામાં આવું પહેલીવાર બન્યું છે કે આટલો મોટો નક્સલી નેતા માર્યો ગયો છે. ગૃહમંત્રીએ કહ્યું કે નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ નક્સલ ચળવળની કરોડરજ્જુ સમાન હતો. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

