ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધાના લગભગ 2 મહિના પછી વિરાટ કોહલીએ પોતાના નિર્ણય પર મૌન તોડ્યું છે. 8 જુલાઈ 2025ના રોજ લંડનમાં યુવરાજ સિંહ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રથમ વખત વિરાટે નિવૃત્તિ લેવાના પોતાના નિર્ણય વિશે વાત કરી છે. યુ વી કેન ફાઉન્ડેશન માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ક્રિકેટ જગતની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી.

