સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા લોકપ્રિય કવિ કલાપી ગાર્ડન ખાતે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી છે. માછલીઓના મોત બાદ તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેને પગલે વોકિંગ માટે આવનારા હજારો નાગરિકો અને નજીકની દાળિયા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

