Ahmedabad Plane Crash: અમદાવાદ શહેર માટે 12 જૂન ગુરુવાર બપોરના 1.38 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો અને ઈતિહાસના કાળા પ્રકરણનો એક હિસ્સો બનીને રહી ગયું અને વર્ષો સુધી લોકોને દુખદ ઘટના તરીકે યાદ રહેશે. એર ઈન્ડિયાના વિમાને ટેક્ ઑફને માત્ર ગણતરીની સેકંડોમાં જ હવામાં અગનગોળો બનીને ઉડતું મોત બની ગયું હતું. જેમાં વિમાનમાં રહેલા પાયલોટ, ક્રૂ મેમ્બર્સ અને પ્રવાસી સહિત કુલ 141 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. આટલું ઓછું હોય તેમ આકાશમાં જ વિમાન અગનગોળો બનીને સીધું બી.જે.મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં ધરબાઈ ગયું જ્યાં ત્યાં પણ ઘણી ખુવારી બોલાવી દીધી હતી.

