અમદાવાદમાં ગુરુવાર એર ઈન્ડિયાનું બે એન્જિનનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ થતા સેકંડોમાં તૂટી પડયું હતું. આ વિમાનના બંને એન્જિનમાં કોઈ ખામી નહોતી. વિમાનના મેઈન્ટેનન્સની વ્યાપક તપાસ જૂન 2023માં કરાઈ હતી તેમ એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું હતું. આ સાથે કંપનીએ શનિવારે કહ્યું કે, ડીજીસીએના નિર્દેશો મુજબ બોઈંગ 787 ડ્રીમલાઈનરના નવ વિમાનોની સુરક્ષા તપાસ થઈ ગઈ છે અને બાકીના 24 વિમાનોની સુરક્ષા તપાસ ચાલી રહી છે.

