નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો માટેના રેનબસેરામાં ખાનગી તબીબને રહેવા માટે રૂમ આપતા એપીએમસીના સત્તાવાળાઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ રેનબસેરા જે ખેડૂતો બહાર ગામ ગયા હોય તેમજ નસવાડી ખાતે શાકભાજી વેચવા માટે આવ્યા હોય તે ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે. ત્યારે આવી રીતના એક તબીબને રેનબસેરા આપીને સરકારના નિયમો નેવે મુક્યા છે. રેનબસેરામાં ડોકટરે ડુંગરીના કટ્ટા વોશિંગ મશીન. ઘર વખરીનો સામાન મુકેલો છે. ચાર દિવસ માટે રૂમ આપવામાં આવે ત્યારે આટલો બધો સામાન કેવી રીતના મુકવામાં આવે તે પણ તપાસનો વિષય છે.

