12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જે વિમાન ક્રેશ થયું હતું તે બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન હતું, જે ટેકઓફ થયાના થોડા સેકન્ડ પછી મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.

