
અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં એક ચોંકાવના઼રી ઘટના બની છે. ભાજપના કાર્યકરે કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. ત્યારે AMC દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના નારાયણપુરા વિસ્તારમાં ભાજપના એક કાર્યકરને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ કોર્પોરેશનનું શૌચાલય તોડી નાખ્યું છે. પોતાની ચાની દુકાન આડે આવતા શૌચાલયને તોડી પાડ્યું છે. શૌચાલય તોડી નાખવા છતાં AMC દ્વારા માત્ર 50,000નો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો છે. શૌચાલય તોડનાર ચાની દુકાનવાળા પાસેથી શૌચાલય બનાવી આપવાનો બાહેધરી પત્ર મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે. ભાજપના નેતાઓનો ફોન આવતા કોર્પોરેશને ઢીલી કાર્યવાહી કરી હોવાની પણ લોકચર્ચા છે.