સુરેન્દ્રનગરમાં આવારા તત્વો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી છે. સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં એક હોટલનું પાકું બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર શહેરમાં આવારા તત્વો દ્વારા બનાવવામાં આવેલા 10થી વધુ મકાનો, દુકાનો અને હોટલોને બુલડોઝર દ્વારા તોડી નાખવામાં આવ્યા છે.

