Amreli news: અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયેદસર રીતે બનાવેલા દબાણ પર તંત્રનો હથોડો વીંઝાવાનો યથાવત્ છે. ત્યારે અમરેલી-ધારીના હિમખડીપરામાં આવેલા મૌલાનાની મદ્રેસા પર તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કર્યું હતું. ધાર્મિક બાંધકામ હટાવતા પહેલા એસપી સંજય ખરાતે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જેમાં પાંચથી વધુ જુદાજુદા તાલુકામાંથી પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે તૈનાત કરી ધાર્મિક દબાણ દૂર કરાવ્યું હતું.

