હ્રદયની તકલીફના કારણે અચાનક મોત થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું. બેભાન હાલતમાં દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર કરાયો હતો. જોકે પરિવાર મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો. દરમિયાન આજે 18 કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી.

