રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસે ફરી માથું ઊંચકતા લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તો કોવિડને લીધે દર્દીના મોત પણ નિપજ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં નજીવા ઘટાડા સાથે 203 કેસ નોંધાયા છે. ગત બે દિવસની સરખામણીમાં આજે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.

