Dahod News: દેવગઢ બારીઆ અને ધાનપુર મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન અરજી ફગાવાઈ છે. દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનરેગા કૌભાંડ કેસમાં મંત્રી બચુ ખાબડના પુત્રો કિરણ અને બળવંતની જામીન અરજી નામંજૂર કરી છે. કિરણ ખાબડ લવારિયા અને બળવંત ખાબડ ભાણપુર ગામના કૌભાંડમાં પોલીસે ફરિયાદ દાખલ કરી મંત્રી પુત્રોની ધરપકડ કરી હતી.

