સુરતના ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરત કરવામાં આવી હતી. આ મીટિંગના 74 દિવસ બાદ આખરે શનિવારે રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરશે.

