અમદવાદ ખાતે થયેલી વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ પ્રક્રિયા તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલ, રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલ 45થી વધુ તબીબો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

