કેન્દ્ર સરકારે ખેડૂતોને ભેટ આપતાં મહત્ત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં ખરીફ પાકના ટેકાના ભાવોમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજદરમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં પાંચ મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ મહત્ત્વના નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે.

