પાટીદાર આંદોલનના યુવા આગેવાન અલ્પેશ કથીરિયાએ સુરતમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં રાજ્ય પોલીસ અને રાજકીય દબાણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગોંડલ પ્રવાસ દરમિયાન તેમના સાથસાથે રહેલા કેટલાક સમર્થકો અને પાટીદાર યુવાનો સામે ખોટી રીતે ગુના દાખલ કરવામાં આવ્યા છે.

