ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક નેશનલ હાઇવે નં.64 પર આવેલ ખાડી બ્રિજ હાલ એટલો જર્જરિત સ્થિતિમાં છે કે વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. બ્રિજની હાલત જોઈને એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તકેદારી આયોગ દ્વારા વર્ષ 2022માં તકલાદી ગુણવત્તા અંગે કડક સૂચનાઓ આપી હતી અને નાગરિકોને એફઆઈઆર કરવા સુધીની સૂચના આપવામાં આવી હતી. છતાં, આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. બ્રિજની હાલની સ્થિતિ તંત્રની કુંભકર્ણ નિંદ્રાને દાખલ કરે છે.

