Ahmedabad Plane Crash News: અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજય રૂપાણી સહિત 241 લોકોના મોત નિપજ્યા છે. વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસ્થાને મોટી સંખ્યામાં નેતાઓ પહોંચી રહ્યા છે. દિલીપ સંઘાણી, પુરષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજન નેતાઓએ વિજય રૂપાણીના પત્ની સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. મીડિયા સાથે વાત કરતા દિલીપ સાંઘાણી, શંકરસિંહ ચૌધરી અને પરષોત્તમ રૂપાલાએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી હતી.

