ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર દ્વારા જીકાસ પોર્ટલમાં જોડાયેલી રાજ્યની તમામ 15 સરકારી યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને જણાવ્યું છે કે જીકાસ સેલમાં વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે કે કેટલીક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેઓએ હાલ કંઈજ કરવાની જરૂર નથી. જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે, ત્યારે કોલેજ દ્વારા તેઓને સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે.

