રણછોડજી અતિથિગૃહના પાર્કિંગમાં ભક્તો માટેની ભોજનશાળાનું આજે લોકાર્પણ કરાશે. સમગ્ર બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિન્દુભાઈ ભગતે જણાવ્યું હતું કે, ડાકોરના ઠાકોરના દર્શને આવતા ભક્તો ભોજન પ્રસાદી લઈને જાય, કોઈ ભક્ત ભૂખ્યા ના જાય તેવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટીની મીટિંગમાં થયો છે.

