હિંમતનગરની સાબર ડેરીના ભાવફેર ઘટાડા વિરુદ્ધ પશુપાલકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. 14મી જુલાઈની ઘટના બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓએ અચોક્કસ મુદત માટે દૂધ આપવાનું બંધ કર્યું છે. પશુપાલકોએ મંડળીઓમાં બોર્ડ લગાવી આ નિર્ણયની જાહેરાત કરી છે. આંદોલનને કારણે જો બે દિવસ સુધી સાબર ડેરીમાં દૂધનો પુરવઠો બંધ થાય, તો ડેરીમાં દૂધની મોટી અછત ઊભી થવાની શક્યતા છે. આનાથી જનજીવન પર ગંભીર અસર થઈ શકે છે.

