જેડીયુના નવા ચૂંટાયેલા સાંસદ દેવેશ ચંદ્ર ઠાકુરે સીતામઢીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, મુસલમાન અને યાદવોનું કોઈ કામ કરશે નહીં. લોકસભા ચૂંટણીમાં આ સમાજના વોટ ન મળતાં ચંદ્ર ઠાકુર બોખલાયા છે. તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે, 22 વર્ષથી રાજનીતિમાં સક્રિય હોવા દરમિયાન તેમણે સૌથી વધુ કામ યાદવ અને મુસ્લિમોનું કર્યું છે. પરંતુ આ ચૂંટણીમાં આ લોકોએ તેમને વોટ આપ્યા નહીં.

