શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન મેદાન પર ઐતિહાસિક જીત મેળવી છે, પરંતુ હવે આગળનું પગલું તેના કરતા પણ વધુ મુશ્કેલ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે, જે 10 જુલાઈથી શરૂ થશે. એજબેસ્ટનની જેમ, લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાના આંકડા શરમજનક છે. આવી સ્થિતિમાં આ મેચ જીતવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ પાસેથી ખાસ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. ઘણા લોકોને યાદ પણ નહીં હોય કે ટીમ ઈન્ડિયા આ મેદાન પર છેલ્લી મેચ ક્યારે જીતી હતી?

