ભારતમાં રેલવે મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે સર્વિસમાં અનેક નવા બદલાવ કરવામાં આવ્યા છે. જે જુલાઈ 2025થી લાગુ કરાશે. આ બદલાવોમાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં વધારો, અંતરના આધારો ટિકિટની કિંમત, તાત્કાલિક ટિકિટ માટે આધાર કાર્ડ જરૂરી અને OTP આધારિત વેરિફિકેશન સહિતનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ રેલવે વિભાગે ટિકિટને લઈને શું બદલાવ કર્યા છે.

