Home / Gujarat / Ahmedabad : VIDEO: Planning of Mamera Darshan of Lord Jagannath,

VIDEO: 148મી જગન્નાથજીની રથયાત્રામાં ભવ્ય મામેરું યોજાશે, જાણો ભગવાનને શું અર્પણ કરાશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આગામી 27મી જુનના રોજ યોજાશે ત્યારે ભારતની સૌથી લાંબી રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શહેરીજનો ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે. આજે જેઠ વદ અગિયારસ છે. ત્યારે જગન્નાથજીના મામેરા દર્શનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ભક્તો ભગવાનના મામરેના દર્શન કરી શકશે,રથયાત્રાના દિવસે ભગવાન મોસાળ આવે ત્યારે મામેરું કરવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોમવારે થશે મામેરાના દર્શન

મામેરામાં  ત્રણેય ભગવાનને હાર.. વાઘા.. તેમજ સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવે છે.સોમવારે ભગવાન સરસપુર પોતાના મોસાળથી યજમાનના ઘરે આવશે જ્યાં તેમનું મામેરું કરવામાં આવશે. ભગવાન જગન્નાથના મોસાળમાં ત્રિવેદી પરિવાર દ્વારા મામેરું કરવામાં આવશે

Related News

Icon