ગામી 27 જૂને અષાઢ સુદ બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા બુધવારે (11 જૂન) યોજવામાં આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. જળયાત્રા બાદ ભગવાનનો ભવ્ય રીતે જળાભિષેક કરવામાં આવ્યો હતો.