Surendranagar news: દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં જે રીતે કરોડોના ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હજી આ અંગેની શાહી સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો બની નથી અને કામના બિલો બધા પાસ થઈ ગયાનું સામે આવ્યું છે. જેથી ભૂગર્ભ ગટરોના કામ કાગળ પર બની પાંચ લાખનું બિલ પણ પાસ થઈ ગયા હોવાનો ખુલાસો થયો છે.

