Kheda news: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુર ગામમાં નરેગા અને મનરેગા જેવી યોજનામાં કૌભાંડ થયાની બુમ ઉઠી છે. જેમાં વર્ષ-2021થી 2024 સુધીમાં નાણાંપંચની ગ્રાન્ટ આશરે 57- લાખ જેટલી વપરાઈ હતી. આમ છતાં ખીજલપુર ગામ વિકાસથી સાવ વંચિત રહેવા પામ્યું છે. નરેગા યોજના હોય કે 15મા નાણાંપંચ રૂપિયા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે..! ગામના લોકોએ આક્ષેપ કરતા કહ્યું કે ખેતરને ગ્રાઉન્ડ બતાવી નરેગાની ગ્રાન્ટના લાખો રૂપિયા ઉપાડી લીધા છે. પૂર્વ સરપંચ પ્રતાપભાઈ પરમારે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, વિકાસનાં કાર્યો થતા જ નથી. એક જ જગ્યા કે સ્થળને બે-ત્રણ વખત કામ કરીને કાગળો પર બતાવી દેવાય છે.

