દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત આણંદ - ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કામો સહિત કુલ રૂા. 23,292 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરાશે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂા. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.
દાહોદના ખારોડ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે અને રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના 24,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. ત્યારબાદ PM મોદીએ સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે.
PM મોદીએ સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી
આ ઉપરાંત, 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ, તેઓ દાહોદમાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સ્થાપિત રેલ્વે ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરશે. આ પછી, પ્રધાનમંત્રી ૧૮૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ચાર પીવાના પાણી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. મહિસાગર અને દાહોદ જિલ્લાના ૧૯૩ ગામડાઓ અને એક શહેરને આવરી લેતા ૧૦૦ LPGD. પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે.