ગુજરાતના હળવદ તાલુકામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હળવદ તાલુકાના કડિયાણા ગામ નજીક આવેલી વોકળામાં ન્હાવા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે બે બાળકોનાં ડૂબી જવાથી મોત થયા છે. મૃતક બાળકોની ઓળખ પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા અને આદિત્ય મુનાભાઈ રાતડિયા તરીકે થઈ છે.

