Mahisagar news: મહીસાગર જિલ્લામાં લુણાવાડાના હડમતિયામાં 'નલ સે જલ' તંત્રએ ખોટા બિલ અને દસ્તાવેજો બનાવી માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવી કરોડો રૂપિયા ચાઉં કરી લીધા હતા.123.22 કરોડના કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં જે પણ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહીં આવે. જેવી ફરિયાદ મળી, સરકારને લાગ્યું કે તપાસ જરૂરી છે. આદેશ આબાદ તપાસમાં સત્યતા જણાઈ ત્યારે ગુનો નોંધી તરત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ચમરબંધીને સરકાર નહિ છોડે.

