ગુજરાતમાં એક તરફ, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યાં છે તો, બીજી તરફ, ચારેકોર પાણીના પોકાર ઊઠ્યાં છે. ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં તો લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યુ છે. નર્મદાના નીર છેવાડાના ગામડા સુધી પહોચ્યાં છે અને નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી પીવાનું પાણી પહોંચ્યુ છે તેવા દાવાનો પરપોટો ફુટ્યો છે.

