12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે, અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8, VT-ANB)ની દુર્ઘટનાએ આપણને સમજવાની તક આપી કે ટેકઓફ દરમિયાન નાની ટેક્નિકલ કે ઓપરેશનલ ભૂલ (કોન્ફિગરેશન એરર) કેવી રીતે મોટી વિમાન દુર્ઘટનામાં ફેરવાઇ શકે છે. ખાસ કરીને જ્યારે બંને પાયલટ (કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર) અનુભવી હતા અને હવામાન સંપૂર્ણ સ્વચ્છ હતું (તાપમાન 43°C, કોઈ ખરાબ હવામાન નહીં).
કોન્ફિગરેશન એરર શું હોય છે?
ટેકઓઓફ સમયે કોન્ફિગરેશન એરરનો અર્થ એવો થાય છે કે વિમાનની એવી સેટિંગ્સમાં ભૂલ થાય જે તેને યોગ્ય રીતે ઉડાન ભરતા અટકાવે. આમાં ફ્લૅપ્સની ખોટી સેટિંગ, ઓછું થ્રસ્ટ, વહેલું ટેકઓફ (રોટેશન), અથવા લેન્ડિંગિયર ન ઉપર કરવું જેવી ભૂલો શામેલ હોય છે. આ બધું વિમાનની ઉડાન અને ઊંચાઈ મેળવવાની ક્ષમતા પર અસર કરે છે, જેના કારણે વિમાન સ્ટોલ થઈ શકે અથવા નિયંત્રણ ગુમાવી શકે.
અકસ્માત
વિમાન: બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, એક અત્યાધુનિક, લાંબા અંતરનું વિમાન હતું જેમાં GE GEnx એન્જિન લગાવવામાં આવ્યું હતું.

