રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને તેમના દર્શન માટે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉમટી પડવાની શક્યતા છે.આજે તેમનો અંતિમ સંસ્કાર રામનાથ પરા સ્મશાન ખાતે કરવામાં આવશે.

