
Rajkot News: રાજકોટમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ રેલવે ડિવિઝન પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં 29 જૂને વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેન રદ કરવામાં આવી છે. ટેકનિકલ કારણોને લીધે રેલ વ્યવહારને અસર થશે. ટેકનિકલ કારણોના લીધે 29-06-2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર
2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર
3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર
4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર
5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર
6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર
7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી
8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી
9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી
10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી
11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી
12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી