Ahmedabad news: અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આવેલા ભારવિ ટાવર પાસે ભંગારના વેપારી આંગડિયા પેઢીમાંથી વેપારના રૂપિયા લઈને જઈ રહ્યા હતા ત્યારે બે શખ્સ તકરાર કરી વેપારીના રૂપિયા 15 લાખની લૂંટ કરી ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. જે અંગે પોલીસે રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

