
બનાસકાંઠાના થરાદના મોરથલ ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં નવનિયુક્ત સરપંચ નું નિધન થયું છે. સોમાજી ધીરાજી ઠાકોર (ચૌહાણ) ગ્રામ પંચાયતનું પદ સંભાળે તે પહેલા જ 80 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, સોમાજી ધીરાજી ઠાકોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બિન હરીફ ચૂંટાયા હતા.
મળતી માહિતી અનુસાર સોમાજી ધીરાજી ઠાકોરે 4 જૂલાઈના રોજ ગાંધીનગરમાં સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. ત્યારે આજે વહેલી સવારે અચાનક તેમને લોહીની ઉલટી થઈ હતી, અને સારવાર અર્થે ખસેડાય એ પહેલાજ એમનું નિધન થયું હતું.