ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે લીંબડી-અમદાવાદ હાઈવે પર સંતરામપુર-રાજકોટ રૃટની ST બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ST બસ બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સંતરામપુર રૃટની એસ.ટી બસ અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહી હતી.

