Koba Tirth: અમદાવાદ શહેરને અડીને આવેલા કોબા સર્કલથી અંદર મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામીના લલાટ પર સૂર્યતિલકનો અદભુત નજારો જોવા મળ્યો હતો. આ મનમોહક નજારો દર વર્ષે મે મહિનાની 22 તારીખે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટે મહાવીર સ્વામીના કપાળ પર સૂર્યતિલક રચાય છે. આ સૂર્યતિલક વર્ષ-1987થી આ અદભુત નજારો સર્જાયો છે. આ દ્રશ્ય જોવા જૈન સિવાય પણ અન્ય લોકો પણ જોવા આવતા હોય છે. આ સૂર્યતિલકની અદભુત ક્ષણ ત્રણ મિનિટ સુધી ચાલે છે.

