સુરતમાં આવેલા ખાડી પૂર બાદ મુદ્દો રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકમાં ભારે આક્રોશ છે ત્યારે ગઈકાલે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી હતી તેમાં ખાડી પુરનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ખાડી પુર મુદ્દે સિંચાઈ વિભાગની જવાબદારી છે તેવું કહીને અધિકારીઓની ઝાટકણી કાઢી હતી ત્યાર બાદ પણ સિંચાઈ વિભાગના ખાડી પૂર માટે પાલિકા પર જવાબદારી થોપવાનો પ્રયાસ કરી પાલિકાને નોટિસ આપી છે. આ નોટિસ બાદ ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારના નિર્ણયને પણ પરોક્ષ રીતે પડકાર્યો છે તેવું ચિત્ર ઉભુ થયું છે.

