સુરત શહેરમાં રાજકીય તંત્રમાં ભારે ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી અંતર્ગત આરોપી આદિત્ય ઉપાધ્યાયની રીમાન્ડ મયકત કસ્ટડી પૂર્ણ થતાં તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે કોંગી કાર્યકરોએ દેખાવો કરતાં તેઓની અટકાયત પોલીસ દ્વારા કરાઈ હતી

