Ahmedabad Plane Crash News: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ભારત સહિત દુનિયાભરને હચમચાવી દીધી છે. ઘટનાસ્થળ પર તંત્ર દ્વારા સતત તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજના દિવસમાં વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે જેને પગલે કુલ મૃતક આંક 275 પર પહોંચ્યો છે. એવામાં પ્લેન ક્રેશ અકસ્માતમાં સિવિલમાં ફરજ બજાવતા નોર્થ ઇસ્ટના એક તબીબનો ચમત્કારિક બચાવ થયો છે.

