શુભમન ગિલની કેપ્ટનશિપમાં, ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ હારી ગઈ છે. જોકે, આ સિરીઝ પાંચ મેચની છે, તેથી વાપસીની શક્યતાને નકારી ન શકાય. ટીમ ઈન્ડિયા હવે બીજી મેચ માટે તૈયારી કરી રહી છે, જે 2 જુલાઈથી બર્મિંઘમમાં રમાશે. દરમિયાન, શુભમન ગિલ પાસે એવી તક છે, જેના દ્વારા ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી શકે છે.

