આઈપીએલ 2025ના સમાપન બાદ ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારી 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે હવે તૈયાર છે. કેટલાક ખેલાડી પહેલા જ ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ખેલાડી ટૂંક સમયમાં ત્યાં પહોંચશે. આ પ્રવાસની તમામ માહિતી શેર કરવા માટે ટીમ ઈન્ડિયાના નવનિયુક્ત કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમની સાથે કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા.

