Gandhinagar news: ગાંધીનગર શહેરને અડીને આવેલા વાવોલ ગામના બાળરોગના તબીબ એવા 39 વર્ષીય નીરવ બ્રહ્મભટ્ટ પોતાની 6 વર્ષની દીકરીને ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ જવેરા અડાલજને અડીને આવેલી નર્મદા કેનાલમાં પધરાવવા ગયા હતા. જ્યાં તેઓનો પાણીમાં પગ લપસી જતા દીકરીની નજર સામે પિતા કેનાલમાં ખાબક્યા અને ડૂબી જતા મોત થયું હતું. આ દ્રશ્ય જોઈને 6 વર્ષની દીકરી ચોંધાર આંસુએ રડી હતી. દીકરીએ બુમો પાડી ત્યારે આસપાસના લોકોએ પોલીસ અને 108ને ફોન કરી જાણ કરીને તબીબના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢયો હતો. જે બાદ ડૉકટર નીરવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

