
રાજકોટ શહેરમાંથી વકફ બોર્ડેના નામે મિલકત પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં વકફ બોર્ડના નામે અચાનક દુકાનો પર દાવો ઠોકી કેટલાક વિધર્મીઓ દ્વારા દુકાનોમાં રહેલો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેમાંથી બે દુકાનો 70 વર્ષથી ભાડાપેટે દુકાનદારો દ્વારા ચલાવવામાં આવે છે. વકફ બોર્ડના આદેશના નામે ત્રણ દુકાનો ખાલી કરવાના મામલે વિવાદ વકર્યો છે તેમજ દુકાનદારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.
આ અંગે ભાડુઆત હસમુખભાઈએ જણાવ્યું હતું કે, હું અમદાવાદ હતો ત્યારે એકાએક 10થી વધુ લોકોનું ટોળું આવ્યું અને અમારી તાળા મરેલી દુકાનના તાળા તોડી અને સમાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અમે 1964ની સાલથી અહિંયા દુકાન ધરાવીએ છીએ એ છતાં કોઈપણ જાતની જાણ કર્યા વગર તેમણે આ પ્રકારનું પગલું લઈ લીધું.
આ પણ વાંચો : રાજકોટ: 'ભાસ્કર-પરેશ અપહરણ’ કેસમાં 25 વર્ષે આવ્યો ચુકાદો, જુઓ કોણ છૂટ્યું નિર્દોષ
તેમને કોઈ ફારુખ ભાઈએ કહ્યું, વકફ બોર્ડનો ઓર્ડર છે કે અમારે મિલકતનો કબ્જો લેવાનો છે. તેમજ અમારી દુકાન વર્ષોથી ભાડે છે તે છતાં આ અંગે અમને અગાઉ કોઈ જાણ કે નોટિસ પણ આપવામાં આવી નહતી. અમારી સાથે અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈએ છીએ જેથી બીજા કોઈ સાથે આવું ન થાય.